મુંબઈની રાજકીય વસાહત હવે નવા દિશામાં વળી રહી છે. ગઈકાલે વરલીમાં યોજાયેલી વિજય રેલીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સાંજખાલે રાજકીય ભૂકંપ લાવ્યો હતો. બંનેએ જાહેર રીતે જાહેરાત કરી કે હવે સાથે આવ્યા છે અને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ પણ સાથે જ લડશે. આ સાથે રાજકીય પરિસ્થિતિમાં મોટું ફેરફાર જોવા મળ્યો છે. ખાસ કરીને મહાવિકાસ આઘાડી – જે 2019 પછી કોંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે રચાઈ હતી – હવે વિખેરાઈ જવાની દિશામાં સ્પષ્ટ છે.
કોંગ્રેસના સૂત્રો મુજબ, હવે પાર્ટી મુંબઈ, પુણે, નાસિક સહિતની મહાનગરપાલિકાની ચૂંટણીઓ એકલા હાથે લડવા તૈયાર થઈ ગઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો મત છે કે હમણાં જનાધારની ચકાસણી જરૂરી છે. આગામી 7 જુલાઈએ કોંગ્રેસની મહત્વની બેઠક થવાની છે, જેમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
મુંબઈ મહાપાલિકાની છેલ્લી ચૂંટણી 2017માં યોજાઈ હતી. જેમાં શિવસેનાએ 84 અને ભાજપે 82 બેઠકો જીતી હતી. પરંતુ 2022માં શિવસેનામાં ભાગલા પડી ગયા હતા, જેના કારણે લગભગ 60% નગરસેવકો શિંદે જૂથમાં જોડાઈ ગયા હતા. હાલ BMC સહિત અન્ય મહાપાલિકાઓમાં વહીવટદાર નિયુક્ત કરીને રાજ્ય સરકાર સીધો વહીવટ ચલાવી રહી છે.

એક તરફ હવે ભાજપ અને શિંદેની શિવસેના છે, બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ જમાવટ કરી છે. ત્રીજી છાવણી તરીકે કોંગ્રેસ એકલી લડવાનું આયોજન કરી રહી છે. એનસીપીની બંને ફાળીઓ – શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ – મુંબઈ જેવા શહેરી વિસ્તારોમાં ખાસ અસરકારક નથી, પરંતુ પુણે, નાસિક જેવી નગરપાલિકાઓમાં તેઓ પોતાનું દાવ પેસ કરશે.
રાજ ઠાકરેજ હંમેશાં હિંદુત્વના એજન્ડા, લાઉડસ્પીકર મુદ્દો અને મરાઠી અસ્મિતા જેવા મુદ્દે આક્રમક રुख અપનાવ્યા છે. કોંગ્રેસને તે માન્ય નથી અને તેથી રાજ સાથે કોઈ પણ પ્રકારની ગઠબંધનની શક્યતાઓ કોંગ્રેસ હવે નકારી રહી છે. પ્રથ્વીરાજ ચવ્હાણ સહિતના નેતાઓએ ખુલ્લેઆમ કહ્યું છે કે પાર્ટી પોતાનું સ્વતંત્ર વલણ રાખીને ચૂંટણી લડવા તૈયાર છે.
દિવાળીની આસપાસ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ, 248 મ્યુનિસિપલ કાઉન્સિલો અને 336 પંચાયત સમિતિઓ માટે ચૂંટણી યોજાવાની છે. તેથી આ ચૂંટણીને “મિનિ વિધાનસભા ચૂંટણી” તરીકે જોવામાં આવી રહી છે.
મુંબઈ કોર્પોરેશનમાં આવેલા વિધાનસભાના 36 સીટમાં ગઈવારના પરિણામ મુજબ ભાજપે 15, ઉદ્ધવ જૂથે 10, શિંદે જૂથે 6, કોંગ્રેસે 3 અને અન્ય પક્ષોએ 2 બેઠકો મેળવી હતી.
આવે સમયે મુંબઈની ચૂંટણી માત્ર પાલિકા માટે નહીં, પણ મહારાષ્ટ્રના આગામી રાજકીય ભાવિ માટે માર્ગદર્શક બનશે એ નક્કી છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
