અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગર માં આજે, 29 મે, 2025ના રોજ સવારે મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અજરમિલ ચાર રસ્તા નજીક એસ.પી. ઓફિસ પાછળના વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં કુલ મળીને અંદાજે 400થી વધુ છાપરાં તેમજ નાના અને મોટા પ્રકારના કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
તંત્રની તૈયારીઓ અને બંદોબસ્ત
આ કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસ તંત્ર દ્વારા વિશાળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વલસવા, પોલીસ વિભાગ, અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓની ટીમોએ સ્થળ પર હાજરી આપી હતી. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, SRP જવાનો અને મ્યુનિસિપલ સ્ટાફની તૈનાતી સાથે આ કામગીરી નિભવવામાં આવી હતી જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. તંત્રે બિલ્ડોઝરો, ટ્રક અને અન્ય મશીનરીના સહારે વહેલી સવારથી જ કામગીરી શરૂ કરી દીધી હતી.

અકબરનગર માં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી
અકબરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે બાંધકામો અને દબાણોની સમસ્યા ચાલી રહી હતી. અનેકવાર નોટિસ આપવામાં છતાં પણ બાંધકામો દૂર કરવામાં ન આવતા તંત્રએ આડેધડ દબાણો દૂર કરવા માટે નક્કર પગલું ભર્યું છે. આ વિસ્તારમાં રહેલા કેટલાક રહીશો દ્વારા કાયદેસર દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં, જો બાંધકામ ગેરકાયદેસર ગણાયું હોય તો તે હટાવવામાં આવ્યું છે.
અકબરનગર માં અસરગ્રસ્તો માટે શેલ્ટર હોમની વ્યવસ્થા
અકબરનગર ની આ કાર્યવાહીમાં ઘરવિહોણા થયેલા લોકોને તાત્કાલિક રાહત માટે AMC દ્વારા શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે. અહીં તેઓ માટે ખોરાક, પાણી, આરોગ્ય સેવાઓ સહિતની બધી જ જરૂરી સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તંત્રએ જણાવ્યું છે કે કોઈપણ જાતની હિંસા કે અવ્યવસ્થા ન થાય તેની સંપૂર્ણ જવાબદારી લેવાઈ રહી છે.
આ કામગીરી એકવાર ફરી બતાવે છે કે શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્ર હવે વધુ સખત વલણ અપનાવી રહ્યું છે અને શહેરના વિકાસ માર્ગે એક મોટા અવરોધને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
