AB Plus News
BREAKING NEWS
તાજા સમાચારરાજનીતિ

રાજકારણમાં કકળાટ વધશે:પક્ષોમાં હુંસાતુંસી વધશે :પક્ષ પલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવશે :ફેબ્રુ-માર્ચમાં રાજનીતિમાં અસ્થિરતા જોવાશે

Share

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડી ,ગરમી અને વરસાદ જેવા વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની આગાહી કરી

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની છે. આવું અમે નહિ, પરંતું જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની આગાહી કરી છે. જોકે, આ આગાહી નહિ, પરંતુ મોટો ધડાકો છે. કારણ કે, તેમણે રાજકારણમાં રાજકીય પક્ષોમાં હુંસાતુંસીની વાત કરી છે. ત્યારે તેમની આગાહી શું છે તે જાણી લઈએ.

સામાન્ય રીતે અંબાલાલ પટેલ દેશ દુનિયાના હવામાનની આગાહી કરવા માટે પ્રખ્યાત છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદની સચોટ આગાહી કરતા હોય છે. ચોમાસાની મોસમમાં લોકો અંબાલાલ પટેલની આગાહી વાંચીને પોતાના પ્લાનિંગ કરતા હોય છે, ત્યારે હવામાનશાસ્ત્રી રાજકીય તજજ્ઞ પણ બન્યા છે. તેમણે ગુજરાતના રાજકારણની આગાહી કરી છે. રાજકારણમાં આગામી દિવસો કેવા રહેશે તેની તેઓએ ભવિષ્યવાણી કરી છે. તેમના અનુસાર, આગામી સમયમાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી સમયમાં રાજકારણમાં કકળાટ વધશે. રાજકીય પક્ષોમાં હુંસાતુંસી જોવા મળશે. પક્ષ પલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવી શકે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચથી રાજકારણમાં અસ્થિરતા આવશે


Share

Related posts

શ્રાદ્ધ પક્ષ 2025 : 8 થી 21 સપ્ટેમ્બર સુધી પિતૃપૂજનનો પવિત્ર સમયગાળો

abplusnews

મઢડા ગામના સૈનિક નું ભવ્ય સ્વાગત: દિલુભાઈ બુધેલાની દેશસેવાની ઉજવણી

abplusnews

માતર ભવાની વાવ જર્જરિત હાલતમાં: 932 વર્ષ જૂની હેરિટેજ સાઇટ જોખમમાં

abplusnews

Leave a Comment