જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયના દેવતા તરીકે માનવામાં આવે છે. માન્યતા મુજબ શનિદેવ વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મો અનુસાર ફળ આપે છે. જેના કારણે શનિ જયંતિનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ વર્ષે 16 મે 2026ના રોજ ઉજવાતી શનિ જયંતિ વધુ ખાસ બની રહી છે, કારણ કે લગભગ 50 વર્ષ બાદ એક અત્યંત દુર્લભ અને શુભ ‘કેદાર રાજયોગ’ બની રહ્યો છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ, આ સંયોગ ભક્તો માટે સુખ, સમૃદ્ધિ અને ભાગ્યોદયના દ્વાર ખોલી શકે છે.
દ્રિક પંચાંગ મુજબ અમાસ તિથિ 16 મેના રોજ સવારે 05:11 વાગ્યે શરૂ થશે અને 17 મેના રોજ રાત્રે 01:30 વાગ્યે પૂર્ણ થશે. ઉદયતિથિના નિયમ પ્રમાણે શનિ જયંતિ 16 મેના રોજ ઉજવાશે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે વૈશાખ અમાસના દિવસે ભગવાન શનિદેવનો જન્મ થયો હતો, તેથી આ દિવસને વિશેષ પૂજનીય માનવામાં આવે છે.
શું છે કેદાર રાજયોગ?
જ્યોતિષીય ગણતરી અનુસાર જ્યારે સાતેય મુખ્ય ગ્રહો કુંડળીના અલગ-અલગ ભાવોમાં સ્થિત થાય છે ત્યારે ‘કેદાર રાજયોગ’નું નિર્માણ થાય છે. આ યોગ અત્યંત દુર્લભ છે અને ખાસ કરીને શનિ જયંતિના દિવસે તેનો સંયોગ બનવો શુભ સંકેત માનવામાં આવે છે. જ્યોતિષીઓનું માનવું છે કે આ યોગ દરમિયાન શનિદેવની આરાધના કરવાથી બમણું ફળ પ્રાપ્ત થાય છે. આર્થિક સંકટ, કર્જ અને અટવાયેલા કાર્યોમાંથી રાહત મળવાની શક્યતા રહે છે.
આ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
મેષ રાશિ
કેદાર રાજયોગ મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતા છે. કારકિર્દીમાં નવી તક મળશે અને બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે. પરિવારિક જીવનમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને માનસિક શાંતિ મળશે. પૂર્વજોની સંપત્તિ અથવા અટકેલા પૈસા પાછા મળવાના યોગ પણ બની શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ લાભદાયી રહેશે. કાર્યસ્થળે તેમની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. વેપારમાં નવા રોકાણથી સારો લાભ મળી શકે છે. અટવાયેલા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થશે. જૂના કર્જમાંથી મુક્તિ મળવાની શક્યતા છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને વૈવાહિક જીવનમાં ખુશી આવશે.
વૃશ્ચિક રાશિ
શનિદેવના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકોમાં આત્મવિશ્વાસ વધશે. નોકરી શોધી રહેલા લોકોને નવી ઓફર મળી શકે છે. વિદેશ પ્રવાસ અથવા ઉચ્ચ શિક્ષણના યોગ બની શકે છે. જીવનમાં ચાલી રહેલા તણાવમાં ઘટાડો થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને નવા આવકના સ્ત્રોત ઉભા થઈ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી સ્વયં શનિદેવ હોવાથી આ રાજયોગ સૌથી વધુ શુભ ફળ આપી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને નવા સંપર્કો લાભદાયી સાબિત થશે. ધનપ્રાપ્તિના નવા માર્ગ ખુલશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને પરિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે.
શનિ જયંતિ પર પૂજાનો શુભ સમય
જ્યોતિષીઓના જણાવ્યા મુજબ શનિ જયંતિએ સંધ્યાકાળમાં પૂજા કરવી સૌથી વધુ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી શનિદેવની આરાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે શનિ મંદિરમાં જઈ સરસવના તેલનો દીવો પ્રગટાવવો, કાળા તલ અર્પણ કરવું અને શનિ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
પૂજા વિધિ
- વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ અને ગાઢ રંગના વસ્ત્રો ધારણ કરો.
- પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને શનિદેવનું ધ્યાન ધરો.
- “ૐ શં શનૈશ્ચરાય નમઃ” મંત્રનો જાપ કરો.
- શનિ સ્તોત્ર અથવા શનિ ચાલીસાનો પાઠ કરો.
- પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
- ગરીબો અને જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અને દાન આપો.
સાડાસાતીથી પીડિત રાશિઓ
હાલમાં મેષ, મીન અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે.
- મેષ રાશિ: પ્રથમ તબક્કો
- મીન રાશિ: બીજો તબક્કો
- કુંભ રાશિ: અંતિમ તબક્કો
જ્યોતિષ અનુસાર આ સમય દરમિયાન જીવનમાં પડકારો વધી શકે છે, પરંતુ યોગ્ય ઉપાયોથી રાહત મેળવી શકાય છે.
શનિ જયંતિ માં સાડાસાતી અને ઢૈયાથી બચવા માટેના ખાસ ઉપાયો
1. છાયા દાન
એક કાંસા અથવા સ્ટીલની વાટકીમાં સરસવનું તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોઈ તે તેલ શનિદેવને અર્પણ કરો. આ ઉપાય સતત 11 શનિવાર સુધી કરવાથી નકારાત્મકતા દૂર થાય છે.
2. પીપળાની પૂજા
સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ પાસે ચોમુખી દીવો પ્રગટાવી 7 પરિક્રમા કરો. સાથે “ૐ શં શનૈશ્ચરાય નમઃ” મંત્રનો જાપ કરવાથી પિતૃ દોષમાં રાહત મળે છે.
3. ગરીબો અને દિવ્યાંગોની સેવા
શનિદેવ ગરીબો અને મજૂરોની સેવા કરવાથી પ્રસન્ન થાય છે. આ દિવસે કાળા તલ, કાળી છત્રી, ચંપલ અથવા લોખંડની વસ્તુઓનું દાન શુભ માનવામાં આવે છે.
4. પશુ-પક્ષીઓને ખવડાવો
કાળા કૂતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવો અને કાગડાઓને દાણા નાખો. આ ઉપાય શનિ અને રાહુના અશુભ પ્રભાવને ઘટાડે છે.
5. હનુમાનજીની ઉપાસના
શનિદેવના પ્રકોપથી બચવા માટે હનુમાનજીની ભક્તિ સૌથી અસરકારક માનવામાં આવે છે. શનિ જયંતિએ 8 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે.
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ વર્ષની શનિ જયંતિ ભક્તો માટે અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવી રહી છે. ખાસ કરીને કેદાર રાજયોગના કારણે ઘણા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/


