AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

રાજકોટ માં ભુઈના ધતિંગનો પર્દાફાશ: વિજ્ઞાન જાથાની સફળ કાર્યવાહી

રાજકોટ
Share

રાજકોટ માં પોલીસની પ્રશંસનીય કામગીરી

જાહેરમાં માફી, ભવિષ્યમાં આવા કામ ન કરવા કબુલાત

વિજ્ઞાન જાથાનો સંદેશ: અંધશ્રદ્ધાથી દૂર રહો, વિજ્ઞાનને અપનાવો

રાજકોટ : છેલ્લા ૨૦ વર્ષથી મેઘમાયાનગર, નાનામવા રોડ પર દોરા-ધાગા, મંત્ર-તંત્રના બહાને છેતરપિંડી ચલાવતી નીતાબેન ભોજાણી ઉર્ફે ભુઈનો વિજ્ઞાન જાથાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો. ભુઈએ ઘર ખાતે માતાજીનું મઢ બનાવી લોકો સાથે શારીરિક, માનસિક અને આર્થિક છેતરપિંડી આચરી હતી.

ભુઈના કારોબારનો ખુલાસો
ભુઈ પરિવાર મંત્ર-તંત્રના બહાને લોકો પાસેથી ₹5000 થી ₹1,00,000 સુધીની ફી વસૂલતો હતો. તેઓ ધર્મ અને ભયનું સહારો લઈ જમીન અને વ્યાજ-વટાવનો ગેરકાયદેસર ધંધો ચલાવતા. સંશયજનક રીતે પૈસાવાળી જીવનશૈલી અપનાવતી ભુઈ અંધશ્રદ્ધા ફેલાવી પડોશીઓને ધમકાવતી હતી.

વિજ્ઞાન જાથાનો ઓપરેશન અને ભુઈનો પર્દાફાશ
વિજ્ઞાન જાથાના કાર્યકરોને ભુઈના ધંધા અંગે જાણ થઈ હતી. તેમણે એક ગ્રાહક મોકલી દોરા-ધાગાની વિધિ કરાવતાં આખી ઘટના વીડિયો પર કેદ કરી. પુરાવા એકત્ર કરી પોલીસે ભુઈને પકડતા, તેણે કબુલાતનામું આપી જાહેરમાં માફી માંગી.

વિજ્ઞાન જાથાનો ૧૨૬૧મો સફળ પર્દાફાશ
રાજકોટ પોલીસ અને વિજ્ઞાન જાથાની જાગૃતતા દ્વારા શહેરમાં એક મોટું અંધશ્રદ્ધા નાબૂદી અભિયાન સફળ થયું.

 

વધુ સમાચાર વાંચો :

નરોડામાં વેપારી સાથે 2 કરોડથી વધુની ઠગાઈ: 6 ગઠિયાઓ સામે ફરિયાદ

https://abplusnews.com/businessman-cheated-of-over-2-crores-in-naroda/

https://www.youtube.com/watch?v=aZBzpVGyNfA


Share

Related posts

રેશનકાર્ડ હવે ઓળખ-રહેઠાણ પુરાવા તરીકે માન્ય નહીં, જાણો સરકારનો મોટો નિર્ણય

abplusnews

એસ.જી. હાઇવે પર ડેકોરેશનના સામાનમાં આગ , ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

abplusnews

વસ્ત્રાપુર ના સુભાષ પાર્ક પાસે ગટર સાફ કરતી વખતે શ્રમિકનું મોત

abplusnews

Leave a Comment