AB Plus News
BREAKING NEWS
ક્રાઈમતાજા સમાચાર

રાજકોટમાં ડબલ મર્ડર: છેડતીની શંકાએ બે ભાઈઓની હત્યા

રાજકોટમાં
Share

રાજકોટમાં ડબલ મર્ડરની ચકચારભરી ઘટના

રાજકોટના આર્યનગર વિસ્તારમાં સોમવારની રાત્રે ડબલ મર્ડરની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ. પરપ્રાંતિય બે શખ્સોએ છેડતીની શંકાના કારણે ભાઈઓ પર છરીથી હુમલો કર્યો, જેમાં નાનાભાઈની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને મોટાભાઈનું સારવાર દરમિયાન અવસાન થયું.

રાજકોટમાં murder

ડાબેથી અમિત જૈન અને જમણેથી વીકી જૈનની ફાઈલ તસવીર

હત્યા પાછળની શક્યિત અને પોલીસની કાર્યવાહી
સંત કબીર રોડ ઉપર રહેતા અમિત અને વિક્કી જૈન પરપ્રીય શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકી દેવાયા હતા. તપાસમાં બહાર આવ્યું કે હત્યારાઓ છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા હતા, જેઓને અમિત અને વિકી પર પોતાની પત્નીની છેડતીની શંકા હતી.

અકસ્માત પછીનો માહોલ
બંને ઘાયલ ભાઈઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા. સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી, પણ સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ થયું.

રાજકોટમાં  પોલીસ દ્વારા તપાસ ચાલુ
મૃતક અમિત જૈનની પત્ની અમીનાબેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચો :

રાજકોટ માં ભુઈના ધતિંગનો પર્દાફાશ: વિજ્ઞાન જાથાની સફળ કાર્યવાહી

https://abplusnews.com/bhuis-dathing-exposed-in-rajkot/

https://www.youtube.com/watch?v=1UsK7ahzUWE


Share

Related posts

100 વર્ષમાં પહેલીવાર ભદ્રા વિના રક્ષાબંધન: આ 3 રાશિઓને થશે વિશેષ લાભ

abplusnews

અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે

abplusnews

Ahmedabad એરપોર્ટ નજીક હોળી ચકલા-ચમનપુરામાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ

abplusnews

Leave a Comment