AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

નરોડા : લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારના ઘરે તસ્કરો ધૂસ્યા, મોટી ચોરી ને અંજામ

નરોડા
Share

અમદાવાદ: નરોડા વિસ્તારમાં ધોળા દિવસે એક મકાનના બાથરૂમની બારી તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા અને રોકડા પૈસા તથા દાગીના મળી કુલ રૂ. 1.31 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે. નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નરોડા હંસપુરામાં આવેલા ગણેશ વાટિકા વિસ્તારમાં રહેતા પ્રવિણકુમાર પરમાર પેટ્રોલપંપ પર ફિલર તરીકે નોકરી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે.  19 એપ્રિલના રોજ તેમના પરિવારના લગ્નપ્રસંગમાં જવાના હતા. બપોરના બે વાગે તેઓ નોકરી પરથી ઘરે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાને તાળું લાગેલું મળ્યું. પ્રવિણભાઈએ પત્નીને ફોન કરીને ખબર લીધી તો જાણવા મળ્યું કે તેઓ સબંધીના ઘરે ગયા છે.

થોડા સમય બાદ તેમની પત્ની ઘરે આવી અને ઘરના તાળું ખોલીને બંને ઘરમાં પ્રવેશ્યા ત્યારે બાથરૂમથી બેડરૂમ સુધી પગલાંના નિશાન જોવા મળ્યા. આથી પ્રવિણભાઈએ તપાસ કરતા બાથરૂમની બારીનો કાચ તૂટેલો હતો અને જમીન પર કાચના ટુકડા પડેલા હતા. આગળ તપાસ કરતા તેઓએ જોયું કે બેડરૂમની તિજોરીનો દરવાજો ખુલ્લો છે અને અંદરનો સામાન વિખરાયો છે.

તપાસમાં સામે આવ્યું કે તિજોરીમાંથી રોકડા રૂ. 40 હજાર તેમજ સોનાં-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1.31 લાખની ચોરી થઈ છે. પ્રવિણકુમાર પરમારે તસ્કર વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલમાં સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ કરવામાં લાગી ગઈ છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમદાવાદના પ્રેમ દરવાજામાં PCB ની મોટી કાર્યવાહી, ભૂસાની આડમાં 2340 દારૂની બોટલો ઝડપી

abplusnews

AMC ની નવી સેલ્ફ એસેસમેન્ટ સર્વિસથી જાણો તમારું પ્રોપર્ટી ટેક્સ

abplusnews

વસ્ત્રાપુર ના સુભાષ પાર્ક પાસે ગટર સાફ કરતી વખતે શ્રમિકનું મોત

abplusnews

Leave a Comment