નારી રક્ષા સેનાના સંસ્થાપક સેજલબેન બી. સરવૈયા તેમજ રાષ્ટ્રીય પ્રભારી બાલુભાઈ સરવૈયા દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામના વતની એવા ભરતભાઈ ખુમાણની “નારી રક્ષા સેના” ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ભરતભાઈ ખુમાણ કૈલાસ માન સરોવર મુકતી આન્દોલનના રાષ્ટ્રીય મહાસચિવ, રાષ્ટ્ર શક્તિ એકતા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ રાજુલા તાલુકા ધર્માધાયક શ્રી પરમ ધર્મ સંસદ ૧૦૦૮ તેમજ અમરેલી જિલ્લા કન્ઝ્યુમર પ્રોટેકશન એનાલિટિક્સ કમિટી “સૌરાષ્ટ્ર કચ્છ ઝોન “જેવી સેવાકીય સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે

તેઓની નારીરક્ષા સેનામાં ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે નિમણૂક થવાથી ગુજરાત પ્રદેશ નારીરક્ષા સેના સંગઠનને નવું પ્રેરક બળ મળ્યુ છે. તેઓના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ સંગઠન ખુબજ મજબૂત બનશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.
ભરતભાઈ ખુમાણનું પત્રકારત્વ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન રહ્યું છે. તેવા ભરતભાઈ ખુમાણની નારીરક્ષા સેનામા ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે નિમણૂક થતા ગુજરાત પ્રદેશ નારી રક્ષા સેના સંગઠનમાં ખુશીની લહેર દોડી ગઈ છે
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
