AB Plus News
BREAKING NEWS
તાજા સમાચારધર્મ દર્શન

રાશિ મુજબ કયો રુદ્રાક્ષ છે તમારા માટે શ્રેષ્ઠ? ભગવાન શિવનાં આંસુમાંથી ઉદ્ભવેલે દિવ્ય વરદાન

રુદ્રાક્ષ
Share

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જે ભગવાન શિવને સમર્પિત છે. આ પવિત્ર માસમાં ભક્તો શિવજીની વિશેષ ઉપાસના કરે છે. શ્રાવણનું ધર્મસાધન ઉપવાસ, જાપ, શિવલિંગ પર અભિષેક તથા પૌરાણિક મહત્વ ધરાવતાં પવિત્ર વસ્તુઓના અર્પણથી સમૃદ્ધ હોય છે. એમા સૌથી વિશિષ્ટ અને શક્તિપ્રદ વસ્તુ છે — રુદ્રાક્ષ.

રુદ્રાક્ષની પૌરાણિક ઉત્પત્તિ:

શિવપુરાણ અનુસાર, રુદ્રાક્ષનો ઉદ્ભવ ભગવાન શિવના તપથી થયો હતો. જ્યારે શિવજી લાંબી તપસ્યા બાદ આંખો ખોલે છે, ત્યારે તેમના તીવ્ર ભાવનાથી ભરેલા આંસુ પૃથ્વી પર પડે છે અને જ્યાં આ ટીપાં પડે ત્યાં રુદ્રાક્ષ વૃક્ષ ઊગે છે. ‘રુદ્ર’ એટલે શિવ અને ‘અક્ષ’ એટલે આંખ, એટલે કે રુદ્રાક્ષ – શિવની આંખમાંથી પડેલા આંસુનો પવિત્ર ફળ.

રુદ્રાક્ષનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ:

  • રુદ્રાક્ષ ધારણ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.

  • આશ્ચર્યજનક રીતે તે માનસિક શાંતિ, ચિત્તની એકાગ્રતા અને તનાવમાં ઘટાડો લાવે છે.

  • તેનો ઉપયોગ શિવપૂજન, રુદ્રાભિષેક અને મંત્રજાપ દરમિયાન વિશેષ શ્રદ્ધા સાથે થાય છે.

  • શ્રાવણમાં રુદ્રાક્ષ ધારણ કરવું વિશેષ પુણ્યદાયી અને કારાગત માનવામાં આવે છે.

રાશિ મુજબ રુદ્રાક્ષ ધારણના લાભ:

રાશિ ઉપયુક્ત મુખી રુદ્રાક્ષ લાભ
મેષ 3 મુખી આત્મવિશ્વાસ અને ઉર્જા વધારો
વૃષભ 6 મુખી વિવેક, સંતુલન અને આધ્યાત્મિક ઉન્નતિ
મિથુન 4 મુખી શીખવાની ક્ષમતા અને કમ્યુનિકેશનમાં સુધારો
કર્ક 2 મુખી સંબંધો મજબૂત થાય અને શાંતિ મળે
સિંહ 1 મુખી નેતૃત્વ ક્ષમતા અને આત્મશક્તિ
કન્યા 5 મુખી આરોગ્ય અને શાંતિ માટે ઉત્તમ
તુલા 7 મુખી ધન અને વ્યવસાયમાં વૃદ્ધિ
વૃશ્ચિક 9 મુખી સાહસ, શક્તિ અને રક્ષણ
ધન 11 મુખી આધ્યાત્મિકતા અને ગુરુક્રુપા
મકર 8 મુખી અવરોધોથી મુક્તિ અને સફળતા
કુંભ 10 મુખી દષ્ટિદોષ અને નકારાત્મક શક્તિઓથી બચાવ
મીન 6 મુખી આંતરિક શાંતિ અને સમજૂતી શક્તિ

રુદ્રાક્ષ પહેરવાની રીત:

  1. શુદ્ધીકરણ વિધિ:
    રુદ્રાક્ષને પહેલાં ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી ધોઈ લો.
    ત્યારબાદ તેને પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ) થી સ્નાન કરાવો.

  2. મંત્ર જાપ:
    ઓમ નમઃ શિવાય ના જાપ સાથે રુદ્રાક્ષ ઉપર ચિત્ત એકાગ્ર કરો.
    શ્રાવણ સોમવારે તો ખાસ “મહામૃત્યુંજય મંત્ર”નો જાપ પણ કરવો લાભદાયી ગણાય છે.

  3. ધારણ વિધિ:
    રુદ્રાક્ષને લાલ, સફેદ કે કાળા ધાગા સાથે ગળામાં ધારણ કરો.
    તેણે શિવલિંગ સમક્ષ પૂજ્યા પછી જ પહેરવો જોઈએ.
    ગળામાં પહેરવું શ્રેષ્ઠ છે, પરંતુ જમણા હાથમાં પણ પહેરવામાં આવે છે.

રુદ્રાક્ષ ધારણના લાભ:

  • દૈનિક જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલન લાવે છે.

  • તનાવ, દબાણ અને અસ્થિરતાને દૂર કરે છે.

  • ધર્મ, તપ, યજ્ઞ અને તીર્થ દર્શન જેટલું પુણ્ય મળે છે.

  • નકારાત્મક ઉર્જા, દષ્ટિદોષ અને બાધાઓથી રક્ષણ કરે છે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઈક:445 પાકિસ્તાનીઓને પરત મોકલાશે

abplusnews

PM મોદી જન્મદિવસે વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ અમદાવાદમાં

abplusnews

કુબેરનગરમાં ભેળસેળનો પર્દાફાશ : 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું

abplusnews

Leave a Comment