AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

માણેકચોક-રતનપોળમાં ગેરકાયદેસર લારીઓના દબાણથી ટ્રાફિક સમસ્યા ઉગ્ર

માણેકચોક
Share

અમદાવાદના માણેકચોક અને રતનપોળ બજારમાં ગેરકાયદેસર લારીઓના દબાણને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ કારણે 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનવ્યવહાર માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ખાણીપીણીની લારીઓ રસ્તાઓ પર ઊભી રહી જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

માણેકચોક માં દબાણ અને ટ્રાફિક સમસ્યા યથાવત

માણેકચોક ચોકસી બજારના પ્રમુખ ચિનુભાઈ ચોકસીના જણાવ્યા મુજબ, લારીઓની સંખ્યા સતત વધી રહી છે, અને ટ્રાફિક વ્યવસ્થા બગડી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી થતી નથી અથવા તો ટૂંકી મુદત માટે માત્ર દેખાવની કાર્યવાહી કરવામાં આવે છે.

CM અને ઉચ્ચ અધિકારીઓને પત્ર લખાયો

 ચોકસી મહાજન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખીને ગેરકાયદેસર દબાણ હટાવવાની માંગણી કરવામાં આવી છે.

માણેકચોક માં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઉગ્ર

  • ખાણીપીણીની લારીઓ સાંજે 7 વાગ્યાથી જ આવી જાય છે, જેનાથી રસ્તા અવરોધાય છે.
  • મ્યુનિસિપલ પાર્કિંગ વિસ્તારમાં પણ લારીઓ ઉભી રહે છે, અને વાહનો ગેરકાયદેસર રીતે પાર્ક થાય છે.
  • 108 એમ્બ્યુલન્સ અને અન્ય તાત્કાલિક સેવાઓને અવરજવર કરવા મુશ્કેલીઓ પડી રહી છે.

મહાજન દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માગણી

માણેકચોક મહાજનના જણાવ્યા મુજબ, ખાણીપીણીની 50થી વધુ લારીઓ ગેરકાયદેસર રીતે ઊભી રહે છે, અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની આંખ બંધ છે. શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચો :
કુંભ યાત્રા થી પરત ફરતી ગુજરાતની બસ દુર્ઘટનાગ્રસ્ત: 27 ઈજાગ્રસ્ત
https://abplusnews.com/gujarat-bus-returning-from-kumbh-met-with-accident/
https://www.youtube.com/watch?v=lggl7gChLck

Share

Related posts

બાપુનગર ભીડભંજન હનુમાન મંદિર રોડ પર ભીષણ આગ: 12 દુકાનો ખાખ, લાખોનું નુકસાન

abplusnews

નરોડા કોલેજ માં ‘આત્મનિર્ભર યુવા એવોર્ડ 2025’નું ભવ્ય આયોજન, 101 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન

abplusnews

શહેરોના વિકાસ ને વેગ: પાયાની સુવિધાઓ માટે નગરપાલિકાઓને ફ્રી સરકારી જમીન મળશે

abplusnews

Leave a Comment