પ્રયાગરાજ | મૌની અમાસના પવિત્ર દિવસે મહાકુંભમાં ભક્તોની ભીષણ ભીડ દરમિયાન નાસભાગ સર્જાતા 10થી વધુ લોકોના મોતની આશંકા છે. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બેરિકેડ તૂટી જવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેના કારણે સ્થળ પર અફરા-તફરી મચી ગઇ.
Maha Kumbh- Stampede on Sangam coast, 14 dead: Entry of devotees stopped in Prayagraj; Amrit Snan of Akharas cancelled; Modi-Shah spoke to Yogi.#MahaKumbh2025 #kumbh#Mahakumbh #MahakumbhStampede#tejaji#महाकुंभ2025 #ISRO pic.twitter.com/rLCItoEz5J
— Reetu Shukla (@reetu_shukl) January 29, 2025
સંગમ કિનારે શું બન્યું?
નાસભાગની જાણકારી મળતાં જ પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી. તૂટી ગયેલા બેરિકેડનું સમારકામ કરીને ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
નાસભાગ કેવી રીતે મચી?
પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, રાત્રે 2 વાગ્યે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ભેગી થઈ હતી. અચાનક બેરિકેડનો એક ભાગ તૂટી પડતા લોકોમાં હાહાકાર મચી ગયો. જીવ બચાવવા માટે શ્રદ્ધાળુઓ દોડવા લાગ્યા, પરંતુ ભીડના ભયંકર દબાણથી અનેક લોકો નીચે પડતાં ઘાયલ થયા. જે શ્રદ્ધાળુઓ પોતાની વસ્તુઓ ઉપાડવા નમ્યા, તે ભીડ હેઠળ કચડાઈ ગયા.
A stampede-like situation occurred at Maha Kumbh when massive crowds arrived in Prayagraj on the occasion of Mauni Amavasya, the day of 'second Shahi snan'.#Prayagraj #Mahakumbh2025 #MahakumbhStampede #MauniAmavasya | pic.twitter.com/dQNVHZHSTx
— Subhodayam Subbarao (@rajasekharaa) January 29, 2025
ભારે ભીડ બની પડકાર
મૌની અમાસના દિવસે શ્રદ્ધાળુઓનું મહાસાગર સંગમ કિનારે એકઠું થયું હતું. સંખ્યાબંધ ભક્તોની અવરજવર કાબૂમાં રાખવા માટે બેરિકેડિંગ કરવામાં આવી હતી, પરંતુ ભીડના ભારે દબાણથી સુરક્ષાની વ્યવસ્થા કથળી ગઈ અને હાલત બેકાબૂ બની.
આ દુર્ઘટનાની તપાસ ચાલુ છે અને મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. મહાકુંભના આયોજનની સલામતી પર સવાલો ઊભા થયા છે.
વધુ સમાચાર વાંચો :
ATSએ 50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો, 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સની ઝડપ
https://abplusnews.com/500-kg-of-tramadol-drugs-seized-from-dholka/
વિસંગતતા l અનુસૂચિત જાતિના લોકોની માંગણી કે બ્રિજનું નામ શિરોમણી સંત શ્રી રોહીદાસજી આપવામાં આવે
https://www.youtube.com/watch?v=HsjUb9Dpmm8