AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

કમળા-ટાઇફોઇડ-ઝાડા ઊલટીના કેસોમાં વધારો, પૂર્વ અમદાવાદમાં 79% કેસ નોંધાયા

Share

અમદાવાદ શહેરમાં મોન્સૂન સિઝન શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળો ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, છેલ્લા દોઢ મહિનાની અંદર કુલ 1,530 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 574 કેસ કમળાના, 529 કેસ ટાઇફોઇડના, 417 ઝાડા-ઊલટીના અને 10 કોલેરાના કેસ સામેલ છે. આ પરિસ્થિતિ ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં વધુ ચિંતાજનક બની રહી છે.

પૂર્વ અમદાવાદમાં ઝાડા-ઊલટીના 79 ટકા કેસ

આ કુલ કેસોમાંથી આશરે 1,206 કેસ (79%) પૂર્વ અમદાવાદમાં નોંધાયા છે, જ્યારે માત્ર 21 ટકા કેસ પશ્ચિમ અમદાવાદમાં નોંધાયા છે. જમાલપુર, દરિયાપુર, વાસણા, મકતમપુરા, વેજલપુર, કુબેરનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, ગોમતીપુર, અમરાઈવાડી, બહેરામપુરા, વટવા જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને બહેરામપુરા, વટવા, મકતમપુરા અને વાસણામાં કેસોની સંખ્યા સતત વધી રહી છે.

ઝોનવાઇઝ સ્થિતિ

  • દક્ષિણ ઝોન : અહીં સૌથી ગંભીર પરિસ્થિતિ છે. અત્યાર સુધી ઝાડા-ઊલટીના 165, કમળાના 130, ટાઇફોઇડના 173 અને કોલેરાના 3 કેસ નોંધાયા છે.

  • પૂર્વ ઝોન : ઝાડા-ઊલટીના 88, કમળાના 157, ટાઇફોઇડના 80 અને કોલેરાના 3 કેસ સામે આવ્યા છે.

  • ઉત્તર ઝોન : ઝાડા-ઊલટીના 47, કમળાના 83 અને ટાઇફોઇડના 96 કેસ નોંધાયા છે.

  • પશ્ચિમ ઝોન : અહીં પરિસ્થિતિ તુલનાત્મક રીતે નિયંત્રણમાં છે, છતાં ઝાડા-ઊલટીના 20, કમળાના 38 અને ટાઇફોઇડના 39 કેસ જોવા મળ્યા છે.

  • ઉત્તર પશ્ચિમ ઝોન : ઝાડા-ઊલટીના 11, કમળાના 10, ટાઇફોઇડના 6 અને કોલેરાનો 1 કેસ નોંધાયો છે.

  • દક્ષિણ પશ્ચિમ ઝોન : અહીં ઝાડા-ઊલટીના 17, કમળાના 41, ટાઇફોઇડના 16 અને કોલેરાના 2 કેસ નોંધાયા છે.

રોગચાળો ફેલાવાનો મુખ્ય કારણ

હેલ્થ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂર્વ અમદાવાદમાં પાણીની લાઇન અને ડ્રેનેજની લાઇન વર્ષો જૂની છે. આ જૂની પાઇપલાઇનોમાંથી પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી મિશ્ર થતું હોવાથી રોગચાળો વધ્યો છે. ઉપરાંત, લોકો મોટરથી પાણી ખેંચે છે, જેના કારણે દૂષિત પાણી ઘરોમાં પહોંચે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી

પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે AMCની ટીમો વોર્ડવાઇઝ ક્લોરિનેશન અને પાણીના સેમ્પલ ટેસ્ટિંગ કરી રહી છે. તબક્કાવાર જૂની પાણી અને ડ્રેનેજ લાઇનોને બદલવાની કે રિપેર કરવાની કામગીરી પણ શરૂ થઈ છે. હેલ્થ વિભાગે નાગરિકોને ઉકાળેલું કે ફિલ્ટર કરેલું પાણી પીવાની સલાહ આપી છે. સાથે સાથે ખુલ્લામાં ખાવાનું ટાળવા, હાથ ધોઈને જમવાનું, અને કોઈપણ રોગના લક્ષણો જણાય તો તરત જ નજીકની હોસ્પીટલમાં સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે, ખાસ કરીને પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે. તંત્ર તાકીદની કામગીરી હાથ ધરી રહ્યું છે, પરંતુ જૂની લાઇનોને કારણે સમસ્યા હજીયે હલ થવામાં સમય લાગશે. નાગરિકોએ સ્વચ્છતા અને પાણીના ઉપયોગ અંગે વધુ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહી શકે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

AMC રૂ. 68.56 લાખે નાંખશે સ્ટોર્મ વોટર ડ્રેનેજ, કઠવાડા–નિકોલ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યાનો અંત

abplusnews

ગુજરાતનું બુર્જ ખલીફા : અમદાવાદમાં 162 મીટર ની સૌથી ઊંચી ઈમારત

abplusnews

રીલ બનાવવા ગયેલી યુવકોની કાર કેનાલમાં પડતાં સગીર સહિત ત્રણ ડૂબ્યા

abplusnews

Leave a Comment