AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ડિમોલિશન ડ્રાઈવ : બૂટલેગરો ના ગેરકાયદે મકાન પર બુલડોઝર ચલાવાયું

બૂટલેગરો
Share

અમદાવાદ શહેરમાં ગુનાખોરી સામે કડક વલણ અપનાવતી પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા આજે વધુ એક મોટું પગલું ભરાયું છે. શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી એલજી કોલેજ નજીક બે કિખ્યાત બૂટલેગરો – ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલ – જે છેલ્લા દાયકા સુધી દારૂના કાળા ધંધામાં સંકળાયેલા હતા, તેમની ગેરકાયદે મિલકતો સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

પોલીસ માહિતી મુજબ ઉદયસિંહ અને શંકરલાલ સાથે તેમના પરિવારજનો પણ ગુનાખોરીમાં સંડોવાયેલા છે. ઉદયસિંહ સામે 17 ગુના, તેના પરિવારના અન્ય સભ્યો સામે 10, જ્યારે શંકરલાલ અને તેના પરિવાર સામે મળીને 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. કુલ મળીને આ બંને પરિવારો સામે અંદાજે 50 ગુનાઓ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે – જેમાં દારૂબંધીનો ભંગ, હુમલા, ધમકી, તથા શસ્ત્રાકૂલીત ગુનાઓનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ બૂટલેગરો એ ગુનાખોરીમાંથી કમાવેલી કાળી કમાણીથી સરકારી જમીન પર ગેરકાયદે મકાન બાંધ્યાં હતા. પોલીસે મહાનગરપાલિકાને તેમની યાદી આપી હતી, જે આધારે આજે પોલીસ બંદોબસ્ત સાથે તેમનાં રહેણાક મકાનો પર બુલડોઝર ચલાવાયું. સરખેજ પોલીસ, કોર્પોરેશનના કર્મચારીઓ અને સ્થાનિક અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે અમલમાં મૂકાઈ.

એસીપી એ.બી. વાળંદે જણાવ્યું કે, “શહેરમાં ગુનાખોરી અને ગેરકાયદે ધંધાઓનું નાબૂદીકરણ કરવું એ અમારું મુખ્ય લક્ષ્ય છે. આવા તત્વો સામે કાયદાની શક્તિ બતાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે.”

અમદાવાદ શહેરમાં આવા કાયદેસર પગલાં થકી ગુનાખોરો પર દબાણ ઊભું કરવાનું અને કાયદાનું રાજ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

વધુ સમાચાર વાંચો :
પેટીએમ અધિકારી બની વૃદ્ધ પાસેથી 98 હજારની ઠગાઈ
https://abplusnews.com/paytm-officer-was-cheated-of-rs-98000/
નરોડા કોલેજમાં વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવનો ભવ્ય આયોજિત કાર્યક્રમ | AB PLUS NEWS
https://www.youtube.com/watch?v=CjpB5p5i_90

Share

Related posts

સાઇબર ક્રાઇમ દ્વારા ચાઈનીઝ સિન્ડિકેટ માટે બેંક ફ્રોડ ગેંગનો પર્દાફાશ

abplusnews

ઠંડીમાં વધારો : ધાબળા કે સ્વેટર મૂકી ના દેતા! માવઠું લાવશે નવી મુસીબત

abplusnews

કરણનગર-બોરીસણા બ્રિજ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

abplusnews

Leave a Comment