AB Plus News
BREAKING NEWS
તાજા સમાચારધર્મ દર્શન

વર્ષ 2025માં શનિ ગોચર: જાણો કઈ રાશિ પર લાગશે શનિની સાડાસાતી અને ઢૈય્યા

શનિની સાડાસાતી
Share

શનિદેવ વર્ષ 2025માં કુંભ રાશિથી નિકળી મીન રાશિમાં ગોચર શરૂ કરશે. એવામાં શનિની મોટી પનોતી અથવા શનિની સાડાસાતી કે નાની પનોતી, ઢૈય્યાનો પ્રભાવ રાશિ પર અલગ અલગ જોવા મળશે.

શનિદેવના આ ગોચરથી બે રાશિ પરથી શનિની ઢૈય્યા અને એક રાશિ પરથી સાડાસાતી દૂર થશે, જ્યારે બે રાશિ પર આ સમયથી ઢૈય્યા શરૂ થશે અને એક રાશિ પર શનિની સાડાસાતી નો દોર શરૂ થશે. જેના કારણે વર્ષ 2025 કેટલીક રાશિ માટે વધુ લાભદાયી નહીં રહે. વૈદિક જયોતિષ અનુસર, દરેક ગ્રહોમાં શનિ ગ્રહની ચાલ અત્યંત ધીમી હોય છે, તેથી તેઓને એક રાશિમાં ગોચર કરતા અઢી વર્ષનો સમય લાગે છે. અહીં જાણો, 2025માં કઇ રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈય્યા દૂર થશે અને કઇ રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈય્યા શરૂ થવાથી પનોતી લાગશે

વર્ષ 2025ની થોડાં દિવસોમાં શરૂઆત થશે, નવું વર્ષ ઉમંગ અને ઉત્સાહ લઇને આવે છે. પરંતુ નવા વર્ષ 2025માં ન્યાયના દેવતા અને કર્મના કારક ગ્રહ શનિદેવ 29 માર્ચના રોજ એટલે કે, સંવતના અંતિમ દિવસે મીન રાશિમાં ગોચર શરૂ કરશે, જેના કારણે બે રાશિના જાતકો શનિની ઢૈય્યા અને એક રાશિના જાતક શનિની સાડાસાતી થી મુક્ત થશે. ઉપરાંત બે રાશિની ઢૈય્યા શરૂ થશે અને એક નવી રાશિની સાડાસાતી શરૂ થશે. હકીકતમાં નિયમ એ છે કે, જે રાશિથી ચોથા અને આઠમા ભાવમાં શનિ હોય છે તેમાં ઢૈય્યા થાય છે અને જે રાશિમાં શનિ સંચાર કરે છે તેની આગળ અને પાછળની રાશિમાં સાડાસાતી હોય છે

વૈદિક જ્યોતિષમાં શનિની ચાલ, અવસ્થા અને ગોચરું વિશેષ મહત્વ છે. કારણ કે જ્યારે શનિદેવ પોતાની ચાલ અથવા રાશિ બદલે છે તો તેનો પ્રભાવ દેશ-દુનિયા, અર્થવ્યવસ્થા, કારોબાર સહિત મેષથી લઇ મીન રાશિ પર પડે છે. શનિદેવને એક રાશિમાં ગોચર કરતા અઢી વર્ષનો સમય લાગે છે અને આ પહેલાં 29 એપ્રિલ 2022ના રોજ શનિનો પ્રવેશ કુંભ રાશિમાં થયો હતો. ત્યારબાદ 12 જુલાઇના શનિ પરત વક્રી થઇ મકરમાં સંચાર શરૂ કર્યો, ઉપરાંત જાન્યુઆરી 2023ના રોજ શનિ મહારાજ કુંભ રાશિમાં આવ્યા હતા અને ત્યારથી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. પરંતુ 2025માં કુંભ રાશિથી નિકળી શનિ મીન રાશિમાં ગોચર કરશે.

કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યાનો પ્રભાવ છે, કારણ કે શનિદેવ કુંભ રાશિમાં છે. પરંતુ શનિના મીન રાશિમાં ગોચર બાદ આ રાશિ પર શનિની ઢૈય્યા પૂર્ણ થશે અને નવ વર્ષ 2025માં સિંહ અને ધન રાશિ પર શનિની ઢૈય્યાનો પ્રભાવ શરૂ થશે. એવામાં નવા વર્ષમાં સિંહ રાશિના જાતકોએ સંભાળીને કામ કરવાની આવશ્યકતા છે. આ દરમિયાન રોજગાર, સ્વાસ્થ્ય, ધન, કામકાજ અને પરિવાર સહિત જીવનના દરેક ક્ષેત્રે ઉતાર ચઢાવનો એટલે કે, શનિની પનોતીનો સામનો કરવો પડી શકે છે.

આ સમયે શનિની સાડાસાતી મકર, કુંભ અને મીન રાશિ પર ચાલી રહી છે. નવા વર્ષ 2025માં શનિના મીન રાશિમાં ગોચરથી મકર રાશિ પર ચાલી રહેલી શનિની સાડાસાતી દૂર થશે અને મેષ રાશિ ર શરૂ થશે. આ સાથે જ મીન રાશિ પર સાડાસાતીનું બીજુ ચરણ અને કુંભ પર શનિનું અંતિમ એટલે કે, ત્રીજુ ચરણ પ્રારંભ થશે. એવામાં નવા વર્ષે 2025માં કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે.

વર્ષ 2025માં શનિદેવના મીન રાશિમાં ગોચરથી સિંહ અને ધન રાશિ પર શનિની ઢૈય્યાનો પ્રભાવ શરૂ થશે. સાથે જ કુંભ, મીન, અને મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે.

પનોતી દૂર કરવા માટે હનુમાનજી અને શનિ મંદિરે દર્શન કરી દાન પુન કરવું જોઈએ તેમજ લવિંગની માળા ચઢાવવી જોઈએ

 

વધુ સમાચાર વાંચો :
નારોલ માં અજાણ્યા વ્યક્તિની હત્યા : PM રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
https://abplusnews.com/murder-of-an-unknown-person-in-narol/
https://www.youtube.com/watch?v=Vk4OjsCEXlg

Share

Related posts

એસજી હાઇવે પર દબાણ હટાવતી ટીમ પર હુમલો, ત્રણ લારીધારકની ધરપકડ

abplusnews

અમદાવાદ , વડોદરા, સુરતમાં ભારે વરસાદનો અંદાજ, તંત્ર એલર્ટ મોડમાં

abplusnews

અમદાવાદમાં ગેરકાયદે ગોડાઉન માં ધડાકો: 2 નો દમઘટથી મોત

abplusnews

Leave a Comment