AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

રીલ બનાવવા ગયેલી યુવકોની કાર કેનાલમાં પડતાં સગીર સહિત ત્રણ ડૂબ્યા

રીલ બનાવવા
Share

અમદાવાદના વાસણા બેરેજ નજીક ફતેવાડી કેનાલમાં બુધવારે રાતે એક ભયાનક અકસ્માત થયો, જેમાં રીલ બનાવવા ગયેલા ત્રણ યુવકો સ્કોર્પિયો કાર સાથે પાણીમાં પડ્યા. ફાયર બ્રિગેડે આજે વહેલી સવારે એક સગીરની લાશ શોધી કાઢી, જયારે અન્ય બે યુવકો માટે શોધખોળ ચાલુ છે.

આટલી મોટી દુર્ઘટના કેવી રીતે બની?

મળતી માહિતી મુજબ, છ યુવકો રાત્રે 3500 રૂપિયામાં 4 કલાક માટે ગાડી ભાડે લઈને વાસણા બેરેજ તરફ ગયા હતા. તેઓ સોશિયલ મીડિયા માટે રીલ બનાવવા ગયેલા હતા. કારમાં યશ ભંકોડિયા, યશ સોલંકી અને ક્રિશ દવે સવાર હતા. ગાડી યશ ભંકોડિયાએ હાંકી, અને બાદમાં યશ સોલંકીએ સંભાળી. ગાડીનો યુ-ટર્ન લેતી વખતે સંતુલન ગુમાતાં તે સીધી કેનાલમાં પડી ગઈ.

મિત્રો બચાવ માટે દોરડું ફેંક્યું, પણ તણાઈ ગયા

બાકીના સાથીઓએ તુરંત બચાવ પ્રયાસો શરૂ કર્યા. વિરાજસિંહ રાઠોડ અને અન્ય મિત્રોએ દોરડું ફેંક્યું, પણ ત્રણેય યુવકો તે પકડી શક્યા નહીં અને વહેતા પાણીમાં તણાઈ ગયા. ફાયર બ્રિગેડને રાતે જ જાણ કરવામાં આવી હતી, અને રાતભર શોધખોળ બાદ ગુરુવારે વહેલી સવારે એક યુવકની લાશ મળી આવી.

રીલ બનાવવા ગાડી ભાડે આપનાર સામે ગુનાહિત બેદરકારીનો આરોપ

યુવકોના પરિવારજનોનો આક્ષેપ છે કે ગાડી ભાડે આપનારની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની. “રીલ બનાવવા માટે ગાડી ભાડે આપતા આવા બનાવો થાય છે,” પરિવારજનોએ જણાવ્યું.

હાલત ગંભીર, બચાવ કામગીરી ચાલુ

ફાયર બ્રિગેડ અને પોલીસ હજુ પણ અન્ય બે યુવકોને શોધી રહી છે. કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે જેથી શોધખોળ સરળ બને. મૃતક યક્ષ ભંકોડિયાના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદમાં બેવડી ઋતુ થી વાયરલ ઇન્ફેક્શન અને રોગચાળાના કેસો વધ્યા
https://abplusnews.com/increase-in-ahmedabad-due-to-double-season/
https://www.youtube.com/watch?v=kCWXu-sZDDU

Share

Related posts

અમદાવાદમાં 1.20 કરોડ નું મોર્ગેજ લોન કૌભાંડ: ‘કરે કોઈ ભરે કોઈ’ સાબિત

abplusnews

ગૃહમંત્રી અમિત શાહ હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે

abplusnews

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એ ગૌ માતાને ટ્રક ભરીને ઘાસચાળો ખવડાવી પુણ્યતા અનુભવી

abplusnews

Leave a Comment