AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

બોટ પલટી જતા એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુથી શોક

બોટ પલટી જતા
Share

આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં ઘટેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. 42 વર્ષીય નગીનભાઈ ગામેચી તેમના 9 વર્ષીય પુત્ર આયુષ અને 12 વર્ષીય ભત્રીજા મિહિર સાથે માછીમારી માટે નદીમાં ગયા હતા. પરંતુ અચાનક બોટ પલટી જવાથી ત્રણેયનું દુર્ઘટનાગ્રસ્ત મોત થયું.

બોટ પલટી જતા

ઘટનાના દિવસે માછીમારી દરમિયાન બનેલી આ દુર્ઘટનાએ પરિવાર માટે આઘાતજનક પરિસ્થિતિ ઊભી કરી છે. બોટ પલટી જતા નદીમાં ડૂબી રહેલા પુત્ર અને ભત્રીજાને બચાવવા જતાં નગીનભાઈ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. અંતે, ત્રણેના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢીને વાસદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લોકોના ટોળેટોળા શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા.

બોટ પલટી જતા

કાછલાપુરા વાસદ ગામના રહેવાસી આ પરિવારમાં આ દુર્ઘટનાને પગલે ભારે શોક છે. એક જ પરિવારના ત્રણ સભ્ય ગુમાવવાનું દુઃખ સમગ્ર ગામ માટે કરુણ સ્થિતિ ઊભી કરતું એવું છે.

 

વધુ સમાચાર વાંચો :

ઠંડીમાં વધારો : ધાબળા કે સ્વેટર મૂકી ના દેતા! માવઠું લાવશે નવી મુસીબત

https://abplusnews.com/cold-weather-forecast/

https://www.youtube.com/watch?v=hBBbZihJBjw


Share

Related posts

પીસીબી ને લગાતાર દરોડાઓમાં મોટી સફળતા: 3201 બોટલ દારૂ જપ્ત

abplusnews

ગુજરાત પોલીસનો ‘ SHASHTRA ’ પ્રોજેક્ટ :ચાર મહાનગરોમાં 25% ગુનાઓ

abplusnews

અમદાવાદમાં પાંચ દિવસમાં 184 ઝાડા ઉલટી, 92 ટાઈફોઈડ, 6 કોલેરાના કેસ

abplusnews

Leave a Comment