AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદમાં ધૂળેટીના દિવસે દુર્ઘટના: સાબરમતી નદીમાં કુબેરનગરના 4 યુવકો ડૂબી જતા મોત

4 યુવકો
Share

અમદાવાદ શહેરમાં ધૂળેટીના તહેવાર દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. સાબરમતી નદીમાં નાહવા પડેલા કુબેરનગર વિસ્તારના 4 યુવકો ના ડૂબી જવાથી મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આનંદ અને ઉત્સાહના તહેવાર દરમિયાન બનેલી આ કરુણ ઘટનાએ અનેક પરિવારોને શોકમાં ગરકાવ કરી દીધા છે.

મળતી માહિતી મુજબ આજે 4 માર્ચે ધૂળેટીનો તહેવાર હોવાથી શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા સાહિલ, પિયુષ, દુર્ગેશ અને સન્ની નામના ચાર મિત્રો મજા-મસ્તી કરવા માટે સાબરમતી નદીમાં નાહવા ગયા હતા. શહેરના કોતરપુર વોટર વર્ક્સ પાછળથી સાબરમતી નદી પસાર થાય છે અને ત્યાં ઘણા લોકો તહેવારો દરમિયાન નાહવા માટે જતા હોય છે. આ 4 યુવકો પણ ત્યાં પહોંચ્યા બાદ નદીમાં ઉતર્યા હતા.

જોકે થોડા સમય બાદ અચાનક જ તેઓ નદીના ઊંડા પાણીમાં જતા રહ્યા અને ડૂબવા લાગ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ ત્રણ યુવકોને ડૂબતા જોયા હતા. પરિસ્થિતિ ગંભીર લાગતા તેણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ઘટનાની જાણ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગને પ્રાથમિક રીતે ત્રણ યુવકો ડૂબ્યા હોવાનો મેસેજ મળ્યો હતો, પરંતુ જ્યારે ફાયર બ્રિગેડની ટીમે નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે ચોંકાવનારી રીતે 4 યુવકો ના મૃતદેહ મળી આવ્યા હતા.

ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ચારેય યુવકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કર્યા બાદ ચારેય યુવકોને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

4 યુવકો કુબેરનગર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે પોતાના વ્હાલા દીકરાઓને મૃત હાલતમાં જોઈને રડી પડ્યા હતા. માતા-પિતા અને સગા-સંબંધીઓમાં શોકનો માહોલ સર્જાયો હતો અને સમગ્ર વિસ્તારમાં પણ દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

ધૂળેટી જેવા આનંદના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાએ ખુશીના માહોલને શોકમાં ફેરવી નાખ્યો છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે તહેવારો દરમિયાન લોકો નદીઓ અને તળાવોમાં નાહવા જતા હોય છે, પરંતુ ઘણીવાર પાણીની ઊંડાઈ અને પ્રવાહ વિશે પૂરતી જાણકારી ન હોવાને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. તંત્ર દ્વારા પણ નદીઓના જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ વારંવાર કરવામાં આવે છે.

હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને ઘટનાની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરી રહી છે. આ દુઃખદ ઘટનાએ કુબેરનગર વિસ્તાર સહિત સમગ્ર શહેરને શોકમાં મૂકી દીધું છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ટેરિફ વૉર શરૂ થતા સોના-ચાંદીમાં નોંધપાત્ર તેજી, એક મહિનામાં 11% વધારો

abplusnews

અમદાવાદમાં બેવડી ઋતુ થી વાયરલ ઇન્ફેક્શન અને રોગચાળાના કેસો વધ્યા

abplusnews

AMC ની બેદરકારી? નિકોલ–કઠવાડાના તૂટેલા રોડોથી લોકો પરેશાન

abplusnews

Leave a Comment