આજના ડિજિટલ યુગમાં જ્યાં ઇન્ટરનેટ અને ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ક્રાઇમના જોખમો સતત વધી રહ્યા છે, ત્યાં સાયબર સિક્યુરિટી જાગૃતિનું મહત્વ વધુ પ્રબળ બન્યું છે. આ જ સંદર્ભમાં શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નરોડા, અમદાવાદ ખાતે “Cyber Security Awareness Program” અંતર્ગત Cyber Security Club દ્વારા વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
Cyber નિષ્ણાતોના માર્ગદર્શન
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે Cyber નિષ્ણાત શ્રી રાજન ગોહિલ અને સાયબર ક્રાઇમ નિષ્ણાત પોલીસ અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ રાણા ઉપસ્થિત રહ્યા. બંને નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી બચવા જરૂરી તકેદારીઓ અંગે સરળ ભાષામાં વિગતવાર માર્ગદર્શન આપ્યું.
શ્રી રાજન ગોહિલએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, આજકાલ સોશિયલ મીડિયા, ઓનલાઇન પેમેન્ટ એપ્સ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા છેતરપિંડીના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવું, ઓટીપી (OTP) કે બેંકિંગ ડીટેલ્સ કોઈ સાથે શેર ન કરવી અને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો જેવી નાની પરંતુ અગત્યની બાબતોનો વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવો જોઈએ.
પોલીસ અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ રાણાએ વિવિધ વાસ્તવિક કિસ્સાઓના ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને સમજાવ્યું કે કેવી રીતે સાવચેતી ન રાખવાથી મોટા નુકસાન થઈ શકે છે. તેમણે જણાવ્યું કે સાયબર ક્રાઇમ સામે લડવા માટે સરકાર દ્વારા વિવિધ હેલ્પલાઇન નંબર અને ઓનલાઇન પોર્ટલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના દ્વારા લોકો તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે છે.
વિશાળ ઉપસ્થિતિ
આ જાગૃતિ કાર્યક્રમમાં કોલેજના 350થી વધુ વિદ્યાર્થીઓ અને તમામ અધ્યાપક મંડળીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ નિષ્ણાતોને પ્રશ્નો પૂછીને પોતાના શંકા નિવારણ કર્યા અને સાયબર સિક્યુરિટી સંબંધિત નવા પાસાઓને સમજવાનો મોકો મેળવ્યો.
સાઇબર પ્રતિજ્ઞા
કાર્યક્રમના અંતે પ્રોફેસર ધર્મેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના “સાયબર કવચ કેન્દ્ર” પ્રોટોકોલ મુજબની Cyber પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ પ્રતિજ્ઞા દ્વારા વિદ્યાર્થીઓએ સાયબર જગતમાં જવાબદારીપૂર્વક વર્તવાનું વચન આપ્યું.
આ સમગ્ર કાર્યક્રમ માત્ર જાગૃતિ પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓમાં સાયબર સિક્યુરિટી પ્રત્યે આત્મરક્ષણની ભાવના જાગૃત કરી. આજના સમયમાં જ્યારે મોટા ભાગના કાર્યો ઓનલાઇન થઈ રહ્યા છે, ત્યારે આવી તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો અત્યંત જરૂરી બની જાય છે.
કોલેજના પ્રિન્સિપાલ, વિભાગાધ્યક્ષ અને અધ્યાપકમંડળે નિષ્ણાતોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
નરોડા કોલેજનું આ આયોજન સાબિત કરે છે કે શિક્ષણ સંસ્થાઓ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું જ નહીં, પરંતુ જીવનમાં આવશ્યક એવા વ્યવહારુ અને પ્રાયોગિક જ્ઞાન આપવા માટે પણ પ્રતિબદ્ધ છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

